Wednesday 23 November 2016

અસ્સલામો અલયકુમ..., સલામ બાદ આપણો ભરૂચ વહોરા પટેલ સમાજ આખી દુન્યા માં વેપાર, ધંધા,રોજગાર માટે ફેલાયેલ છે.આપણો સમાજ મહેનતુ અને ભરૂચી ની ઓળખ રાખનાર સમાજ છે. આપણા સમાજ માં દાનવીરો પણ ઘણા છે. સમાજના હીતેચ્છુ પણ ઘણા છે. પરંતુ એક પ્લેટ ફોર્મ નો અભાવ છે. જેના કારણે સમાજ ની જુની પેઢી અને નવી પેઢી તથા વિદેશી સંસ્કુતી અને માદરે વતન ની સંસ્કુતી નું સંકલન થતું નથી અને એક જનરેશન ગેપ થઈ રહ્યો છે. આપણો સમાજ ૧૧,૦૦,૦૦૦ (અગિયાર લાખ) ની વસ્તી ધરાવતો સમાજ છે. આટલા મોટા સમાજ નું એક સંગઠન હોવું ઘણુજ જરુરી છે. આ સંગઠન ની રચના કરવા માટે વિચાર વિર્મશ કરવા આપની સલાહ સુચન માટે એક મીટીંગ નું આયોજન કરેલ છે. જેના માટે આપના કીમતી સમય માંથી સમાજ માટે થોડો સમય ફાળવી નીચેના સમય, તારીખે અવશ્ય હાજર રહેશો એવી અાશા સાથે વિનંતી કરુ છુ. જજાકલ્લાહ સમય: બપોર ના ૨:૩૦ કલાકે તારીખ: ૨૬/૧૧/૧૬ ને શનીવાર સ્થળ: મુન્શી મનુબરવાલા સંકુલ, દહેજ બાયપાસ,ભરૂચ.. ઈકબાલ પાદરવાલા પ્રમુખ ભરૂચ વ્હોરા પટેલ ચેરી. ટ્રસ્ટ

No comments:

Post a Comment